Wednesday 31 May 2017

वीआईपी संस्कृति के सर्वनाश कि तरफ बढता एक कदम



लालबत्ती हटाना वीआईपी संस्कृति पर रोक लगाने कि दिशा मे एक सराहनिय कदम रहा है। ये लालबत्ती का सिम्बोल दुर करने से एक तरह से वीआईपी लोगो के वाहनो और सामान्य लोगो के वाहनो मे समानता आ गई है. एक तरह जहां, नेता लोग लालबत्ती वाले वाहने मे बैठकर रोफ दिखाने के लिए विभिन्न कारनामो को अंजाम देते है वहां, केन्द्रिय केबिनेट ने ऑर्डिनन्स पारित करके सभी वीआईपी वाहनो से लालबत्ती हटाने का निर्णय किया है।
देश मे वीआईपी कल्चर बहुत हद तक गढ़ चुका है। ये वीआईपी लोग अपना रोफ दिखाने मे लालबत्ती, सायरन और पर्सनवल सिक्योरिटी और कोन्वोय का जमकर इस्तमाल करते रहते है।
वीआईपी लोगो के वाहनो पर से लालबती हटाने सबंधित सुप्रीम कोर्ट ने भी निर्देश दिया था। 10 डिसम्बर 2013 मे सुप्रीम कोर्ट के जस्टिस बी.एस.सिंघवी और जस्टिस सी.नगप्पन कि बेंच ने लालबत्ती के नियमो मे बदलाव के निर्देश दिये थे और उन्हो ने खुद लालबत्ती का त्याग कर दिया था।

लालबत्ती लगाने संबंधित विभिन्न राज्यो मे विभिन्न तरह के कानुन थे, उस पर केन्द्रिय केबिनेट ने रोक लगाने सबंधित ऑर्डिनन्स पारित करके कई वीआईपी लोगों कि रोफ जमाने कि एक ताकात को नपुंसक बना दिया है। लालबत्ती मे चमकने वाली, बिना चमकने वाली और सायरन और बिना सायरन कि विभिन्न प्रकार कि लालबत्ती लगाई जाती थी।
केन्द्र सरकार के निर्देश पर राज्य और केन्द्र सरकार के विभिन्न पदो पर नियुक्त वीआईपी लोगो के वाहनो पर से लालबत्ती 1 मे 2017 से दुर कर दी है। सबसे पहले आम आदमी पार्टी कि सरकार ने सबसे पहले दिल्ही मे लालबत्ती नही रखने का एक सराहनिय कदम शुरु किया था, इसके बाद पंजाब मे भी अमरिंदर सिंह कि सरकारने लालबत्ती वाले वाहन नहि रखने का निर्णय किया।
लालबत्ती का स्टेट्स सिम्बॉल हटाना कई नेता और वीआईपी, वीवीआईपी लोगो के लिए झटका समान है लेकिन, वीआईपी कल्चर दुर करके आदर्श सिद्धांत कि वकालत कर रहे लोगो कि ये नैतिक जीत है।
सामान्यतः हमारे देश के लोग व्यक्ति पूजा (Hero worship) मे ज्यादा लीन रहते है। ये दंभ और आडंबर कि दुनिया से बहार जाना कइ लोगो को बड़ा धक्का पहुचाने वाला है। वाहन पर लालबत्ती देखने से जो हम उनसे प्रभावीत हो जाते थे, ये हमारी मानसिकता से बहार हो जायेगा जो देश कि तंदुरस्त लोकशाही के लिए जरुरी है।
वाहनो पर से लालबत्ती हटा दी गई है। प्रधानमंत्री या मुख्यमंत्री का वाहन और सामान्य व्यक्ति का वाहन मे सुरक्षा के सिवा कोई ज्यादा तफावत नहि है। लेकिन, अभी जो वीआईपीकरण है, वो पुर्णतः दुर नहि किया। हम एक एसे समय कि कामना करते है, जहां, प्रधानमंत्री बीना काफिला के वाहन मे सामान्य लोगो के साथ घुमते दिखे। जिसके लिए, सरकारो से ज्यादा लोगो कि जागरुकता आवश्यक है।
केन्द्र सरकार ने"अपने पैर पर कुल्हाडी मारना" कहावत सच साबित कि है। सामान्यतः नेता उनको मिलती सुविधायें खत्म नहि करते लेकिन, यहां जो निर्णय लिया उसके लिए केन्द्र सरकार को बहोत मुबारकबाद तो देना ही चाहीये। आज नहि तो कल हमारा समाज ये भी परिपक्वता हांसिल कर लेगा कि हम भी किसी से कम नहि। ये लालबत्ती हटाना उसी का तो नाम है, हम भी किसी से कम नहि।

Thursday 13 April 2017

ગુલામીનો નવો અધ્યાય શરૂઃ આંબેડકરના હત્યારા આપણે બાંધવ...

ભારતીય ઇતિહાસમાં સામાજિક અસમાનતાની લાંબી લડાઇના અંતે એક મુક્કમલ તખ્તા સુધી પહોચવામાં આંબેડકર એક માત્ર નામ છે જે, ભારતીય સમાજ વ્યવસ્થાને બદલવામાં ઘણા અંશે સફળ રહ્યા. આંબેડકરના વિચારો તત્કાલિન નેતાઓથી ઘણા અદ્યતન હતા. તેઓ એ વખતના સફળ સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકીય મુત્સદી અને કાયદાવિદ્ હતા. આંબેડકરે સમાજના શોષિત, વંચિત સમુદાય માટે લાંબો સંઘર્ષ કરીને તેમને સામાજિક અને રાજકીય હક્ક આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
આંબેડકર આજીવન મૂર્તિપૂજા અને ધાર્મિક ક્રિયાકાંડોના વિરોધી હતા.. જ્યારે, આજે અનેક જગ્યાએ આંબેડકરની પ્રતિમાઓની પૂજા કરવામાં આવી રહી છે.. દૂધના અભિષેક કરવામાં આવે છે.. ભજન સત્સંગ અને જાગરણ કરવામાં આવે છે અને મહાપ્રસાદના વિતરણ કરવામાં આવે છે. આ એક અસલી રણનીતિ મુજબ આંબેડકરને ભગવાન તરીકે નિર્દેશિત કરવામાં આવી રહ્યા છે.. કહેવાતા આંબેડકરવાદીઓ તેમના મિશનને ભુલીને આંબેડકરની આરતી-પૂજાપાઠ કરવામાં લાગી ગયા છે. આંબેડકર જયંતિ અને પૂણ્યતિથિ નિમિત્તે આંબેડકરવાદીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે અને વચ્ચેના દિવસોમાં આ પ્રજાતિ લુપ્ત થઇ જાય છે.
આંબેડકર એક મહાત્મા પણ નહોતા કારણ કે, તે ઉપદેશ નહિ પણ નક્કર પરિણામ આપવાના મતના વ્યક્તિ હતા. જે વ્યક્તિ આજીવન એક સક્ષમ વિચારધારાને ચરીતાર્થ કરવા માટે પોતાનું જીવન વ્યતિત કર્યુ તેને વિચારધારાની વિરુદ્ધ નવાજવામાં આવે, જેણે મરતાં પહેલાં ભગવાન ન હોવાનું અને તેની પૂજા અર્ચના ન કરતો હોવાનું જાહેર કર્યુ તેને આજે પૂજવામાં આવે તેનાથી મોટી અનુયાયીઓની ગુલામી શું હોઇ શકે?
જે સમાજ આજે પણ ઘણાં અંશે સામાજિક બહિષ્કૃત છે.. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે પરંતું, શિક્ષણને આત્મસાત કરવાની તાકાત નથી. આ વર્ગ એટલે માત્ર દલિતો જ નથી. સામાજિક રીતે દબાયેલો એ તમામ વર્ગ કે વ્યક્તિઓ છે જે ધાર્મિક કુંઠીતાની ગુલામીમાં જકડાયેલો છે અને ગુલામીની ઝંઝીર તોડવાનું સામર્થ્ય પણ ધરાવતો નથી.
આંબેડકર તત્કાલિન નેતાઓ કરતાં ઘણી રીતે અલગ હતા, તેમની લડાઇ વૈચારિક અને તાર્કિક હતી જ્યારે અન્ય નેતાઓ મહાત્માઓને અનુસરતા હતા. તેમણે પોતાના મિશનને આગળ ઘપાવવામાં અનેક કષ્ટ અને વિકટ પરીસ્થિતિનો સામનો કર્યો છે અને શોષિત અને હકોથી વંચિત સમુદાયને સ્વમાનવભેરની જીંદગી આપવામાં સફળ રહ્યા છે.
આજે આંબેડકરની વિચારધારા સમક્ષ મોટો પડકાર છે. આ પડકાર કહેવાતા આંબેડકરવાદીઓ અને આંબેડકરવાદી વિચારધારાના પ્રખર વિરોધીઓથી જ છે. આંબેડકર વૈશ્વિક ઓળખ અને બૃહદ્દ વ્યક્તિત્વ ધરાવતા હતા. સામાજિક ઉત્થાન, સામાજિક સમરસતા અને સમાજિક સંઘર્ષ થકી સ્વાભિમાનની વૈચારિક લડાઇ તેમજ મહિલાઓના ઉત્થાન માટે પણ તેમણે અથાક પ્રયાસ કર્યા છે.. પ્રખર અર્થશાસ્ત્રી તરીકે તેમના અનેક સિદ્ધાંત વર્તમાન આર્થિક વ્યવસ્થા માટે દિવાદાંડી સમાન છે. પરંતુ, આજે આંબેડકરવાદીઓ તેમને માત્ર દલિત હિતચિંતક ચિતરવામાં પડ્યા છે અને આરક્ષણના દાતા ગણી રહ્યા છે. જ્યારે, વિરોધિઓ દલિતોને આંબેડકરી મિશનથી દુર કરવામાં અનેક હાથકંડાઓ અપનાવી રહ્યા છે.
જન્મદત્ત ગુલામીની માનસિકતા ધરાવતાં લોકો આંબેડકરની વિચારધારાને સમજ્યા કે અપનાવ્યા વગર ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. આંબેડકર પ્રત્યેનો ભક્તિભાવ વિચારધારા વગરનો અને ખોખલો છે.. આ ભાવ જ્યાં સુધી સમાજમાં વ્યાપ્ત છે ત્યાં સુધી નવી ક્રાંતિને કોઇ અવકાશ નથી. ગુલામી કરવાનો આપને બંધારણીય અધિકાર હોઇ શકે, પણ જે વ્યક્તિ આ દંભ અને વિચારધારાનો વિરોધી હોય તેના સન્માનમાં આ પ્રકારની બાલિશ હરકત બંધ કરી તેના વિચારોને વધારે આત્મસાત કરવાની આવશ્યકતા છે. 

Thursday 15 October 2015

धर्म परीवर्तन से बदलाव संभव है, कब करते हो शरुआत

डॉ. बाबा साहेब भीम राव आंबेडकर ने 31 मई, 1936 को दादर (बम्बई ) में "धर्म परिवर्तन क्यों? " विषय पर बोलते हुए अपने विस्तृत भाषण में कहा था , " मैं स्पष्ट शब्दों में कहना चाहता हूँ कि मनुष्य धर्म  के लिए नहीं बल्कि  धर्म मनुष्य के लिए है. अगर मनुष्यता की प्राप्ति करनी है तो धर्म परिवर्तन करो. समानता और सम्मान  चाहिए तो धर्म परिवर्तन करो. स्वतंत्रता से जीविका  उपार्जन करना चाहते हो धर्म परिवर्तन करो. अपने परिवार और कौम को सुखी बनाना चाहते हो तो धर्म परिवर्तन करो." इसी तरह 14 अक्टूबर, 1956 को धर्म परिवर्तन करने के बाद बाबा साहेब ने कहा था, "आज मेरा नया जन्म हुआ है."
आइए अब देखा जाये कि बाबा साहेब ने धर्म परिवर्तन के जिन उद्देश्यों और संभावनाओं का ज़िकर किया था, उन की पूर्ती किस हद तक हुयी है और हो रही है. सब  से पहले यह देखना  उचित होगा कि बौद्ध धर्म परिवर्तन कि गति कैसी है. सन 2011 की जन गणना के अनुसार भारत में बौद्धों की जनसँख्या लगभग 84 लाख है जो कि कुल जन संख्या का लगभग 0.7 प्रतिशत है. इस में परम्परागत बौद्धों की जन संख्या बहुत ही कम है और  यह हिन्दू दलितों में से धर्म परिवर्तन करके  बने  नव बौद्ध ही हैं. इस में सब से अधिक बौद्ध महाराष्ट्र में 58.38 लाख, कर्नाटक  में 4.00  लाख और उत्तर प्रदेश में 3.02 लाख हैं. सन 2001 से सन 2011 की अवधि में बौद्धों की जनसँख्या में 6.1% की वृद्धि हुयी है. 

अब अगर नव बौद्धों में आये गुणात्मक परिवर्तन की तुलना हिदू दलितों से की जाये तो यह सिद्ध होता है कि नवबौद्ध हिन्दू दलितों से सभी  क्षेत्रों में  बहुत आगे बढ़ गए हैं जिस से बाबा साहेब के धर्म परिवर्तन के उद्देश्यों की पूर्ती होने की पुष्टि होती है. अगर सन 2001 की जन गणना से प्राप्त आंकड़ों के आधार पर नव बौद्धों की तुलना  हिन्दू दलितों से की जाये तो नव बौद्ध निम्नलिखित क्षेत्रो में हिन्दू दलितों से बहुत आगे पाए जाते हैं:-

1. लिंग अनुपात :- नव बौद्धों में स्त्रियों और पुरुषों का अनुपात 953 प्रति हज़ार है जबकि हिन्दू दलितों में यह अनुपात केवल 936 ही है. इस से यह सिद्ध होता है कि नव बौद्धों में महिलायों की स्थिति हिन्दू दलितों से बहुत अच्छी है. नव बौद्धों में महिलायों का उच्च अनुपात बौद्ध धर्म में महिलायों के समानता के दर्जे के अनुसार ही है जबकि हिन्दू दलितों में महिलायों का अनुपात हिन्दू धर्म में महिलायों के निम्न दर्जे के अनुसार है. नव बौद्धों में महिलायों का यह अनुपात हिन्दुओं के 931, मुसलमानों के 936, सिक्खों के 893 और जैनियों के 940 से भी अधिक है.

2. बच्चों (0-6 वर्ष तक )  का लिंग अनुपात:- उपरोक्त जन गणना के अनुसार नव बौद्धों में 0-6 वर्ष तक के बच्चों में लड़कियों और लड़कों का लिंग अनुपात 942 है जब कि हिन्दू दलितों में यह अनुपात 935 है. यहाँ भी लड़के और लड़कियों का लिंग अनुपात धर्म में  उन के स्थान  के अनुसार ही है. नव बौद्धों में यह अनुपात हिन्दुओं के 931, मुसलामानों के 936, सिक्खों के 893 और जैनियों के 940 से भी ऊँचा है.

3. शिक्षा दर :- नव बौद्धों में शिक्षा दर 72.7% है जबकि हिन्दू दलितों में यह दर सिर्फ 54.7% है. नव बौद्धों का शिक्षा दर हिन्दुओं के 65.1% , मुसलमानों के 59.1% और सिक्खों के 69.7% से भी अधिक है. इस से स्पष्ट तौर से  यह सिद्ध होता है कि बौद्ध धर्म में ज्ञान और शिक्षा को अधिक महत्त्व देने के कारण  ही नव बौद्धों ने शिक्षा के क्षेत्र में काफी तरक्की की है जो कि हिन्दू दलितों कि अपेक्षा बहुत अधिक है.

4. महिलायों का शिक्षा दर:- नव बौद्धों में  महिलायों का शिक्षा दर 61.7% है जब कि हिन्दू दलितों में यह दर  केवल 54.7%  ही है. नव बौद्धों में महिलायों का शिक्षा दर हिन्दू महिलायों के 52.3%, और मुसलमानों के 50.1% से भी अधिक है. इस से यह सिद्ध होता है कि नव बौद्धों में महिलायों की शिक्षा की ओर अधिक ध्यान दिया जाता है.

5. कार्य सहभागिता दर (नियमित रोज़गार):- नव बौद्धों में कार्य सहभागिता दर 40.6% है जब कि हिन्दू दलितों में यह दर 40.4% है.  नव  बौद्धों का  कार्य सहभागिता दर हिन्दुओं के  40.4%, मुसलमानों के  31.3%, ईसाईयों के  39.7%, सिखों के  37.7% और जैनियों के  32.7% से भी अधिक है. इस से यह सिद्ध होता है कि नव बौद्ध बाकी  सभी वर्गों के मुकाबले में नियमित नौकरी करने वालों की  श्रेणी में सब से आगे हैं जो कि उनकी उच्च शिक्षा दर के कारण ही संभव हो सका है. इस कारण वे हिन्दू दलितों से आर्थिक तौर पर भी अधिक संपन्न हैं.

उपरोक्त तुलनात्मक अध्ययन से स्पष्ट है कि नव बौद्धों में लिंग अनुपात, शिक्षा दर, महिलायों का शिक्षा दर और कार्य सहभागिता  की दर न केवल हिन्दू दलितों बल्कि हिन्दुओं, मुसलमानों, सिक्खों और जैनियों से भी आगे है. इस का मुख्य  कारण उन का धर्म परिवर्तन  करके मानसिक गुलामी से मुक्त हो कर प्रगतिशील होना ही है.

इसके अतिरिक्त अलग अलग शोधकर्ताओं द्वारा किये गए अध्ययनों में यह पाया गया है  कि दलितों के जिन जिन परिवारों और उप जातियों ने डॉ. आंबेडकर और बौद्ध  धर्म को अपनाया है उन्होंने हिन्दू दलितों की अपेक्षा अधिक तरक्की की है. उन्होंने ने पुराने गंदे पेशे छोड़ कर नए साफ सुथरे पेशे अपनाये हैं. उन में शिक्षा की ओर अधिक झुकाव पैदा हुआ है. वे भाग्यवाद से मुक्त हो कर अपने पैरों पर खड़े हो गए हैं. वे जातिगत  हीन भावना से मुक्त हो कर अधिक स्वाभिमानी हो गए हैं. वे धर्म के नाम पर होने वाले आर्थिक शोषण से  भी मुक्त हुए हैं और उन्होंने अपनी आर्थिक हालत सुधारी है. उनकी महिलायों और बच्चों की हालत हिन्दू दलितों से बहुत अच्छी है.

उपरोक्त संक्षिप्त विवेचन से यह सिद्ध होता है कि बौद्ध धर्म ही वास्तव में दलितों के कल्याण और मुक्ति का सही मार्ग है. नव बौद्धों ने थोड़े से समय में हिन्दू दलितों के मुकाबले में बहुत तरक्की की है, उन की नव बौद्धों के रूप में एक नयी पहिचान बनी है. वे पहिले की अपेक्षा अधिक स्वाभिमानी और प्रगतिशील बने हैं.  उनका दुनिया और धर्म के बारे में नजरिया अधिक तार्किक  और विज्ञानवादी बना है. नव बौद्धों में  धर्म परिवर्तन के माध्यम से आये परिवर्तन और उन द्वारा की गयी प्रगति से हिन्दू दलितों को प्रेरणा लेनी चाहिए. उनको हिन्दू धर्म की मानसिक गुलामी से मुक्त हो कर नव बौद्धों की तरह  आगे बढ़ना चाहिए. वे एक नयी पहिचान प्राप्त कर जातपात के नरक से बाहर निकल कर समानता और स्वतंत्रता प्राप्त कर सकते हैं. इस के साथ ही नव बौद्धों को भी अच्छे बौद्ध बन कर हिन्दू दलितों के सामने अच्छी उदाहरण पेश करनी चाहिए ताकि बाबा साहेब का भारत को  बौद्धमय बनाने का सपना जल्दी से जल्दी साकार हो सके.

Tuesday 16 June 2015

SMS દ્વારા વૈજ્ઞાનિક માહિતી આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર

કેન્દ્ર સરકાર દ્વારા mkisan portal તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર દેશભરના પશુપાલકો અને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામા આવે છે. આ પોર્ટલ પર એસ.એમ.એસથી વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની તુલનાએ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. પોર્ટલ દ્વારા રાજ્યના ૬.૫૦ લાખ પશુપાલકોને ૧૫૭ લાખ એસએમએસ મોકલાયા છે.

રાજ્યના પશુપાલકોને પશુપાલન અંગેની વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન એસ.એમ.એસ. મારફતે મોકલવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન વિભાગની રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. કુદરતી આપત્તિ સમયે આ પ્રકારના મેસેજથી પશુઓના જાનમાલના રક્ષણ અંગે માહિતી આપીને નુકસાન થતું અટકાવવામાં આવે છે.
ગુજરાતની શ્વેતક્રાંતિ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. રાજ્યની અમુલ ડેરી અને બનાસ ડેરીની સફળતાનું શ્રેય સંપૂર્ણ રીતે રાજ્યના સક્ષમ પશુપાલન ઉદ્યોગને આભારી છે. આ પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. આ તમામ પ્રકારની સહાયકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીને મળી રહે તે માટે આ એસએમએસ સેવા શરૂ કરાવામાં આવી છે.

રાજ્યમાં તાજેતરમાં થયેલી પશુગણતરી દરમ્યાન 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. આ પશુઓના વિકાસ અને પશુપાલન વ્યવસાય દ્વારા પોતાનું જીવન ધોરણ ઉંચું લાવી રહેલા પશુપાલકો પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરે તે વર્તમાન સમયમાં આવશ્યક પણ છે. સામાન્‍ય રીતે ઓછું દૂધ આપતાં, આંચળમાં ખામી, વારંવાર ઉથલા મારવાની કુટેવો, માટી, ખસી જવા જેવી બિમારીઓના સમયે ક્યા ક્યા પગલાં ભરવાં જોઈએ તેની માહિતી પણ પશુપાલકોને આપવામાં આવે છે.

રાજ્યના ખેડૂતો વૈજ્ઞાનિક માર્ગદર્શન અને કૃષિ તેમજ પશુપાલનલક્ષી માહિતી મેળવવા માટે કેન્દ્ર સરકારના mkisan portal પર રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકે છે. પશુપાલકોની સમસ્યાઓનું નિવારણ થાય છે. કિસાનો અને પશુપાલકોને મળતી સરકારી યોજનાઓ અંગેની માહિતી પણ આપવામાં આવે છે.

ગુજરાતમાં ફરજિયાત મતદાન અંગે સરકારની સ્થિતી કફોડી

ગુજરાત સરકારે ફરજિયાત મતદાન માટેનો કાયદો પસાર કરાવીને પોતે જ મુસીબતમાં મુકાઈ ગઈ છે. અગાઉ કાયદો પસાર કરાવવા માટે પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલ સામે સરકારે બાંયો ચઢાવી હતી. રાજ્યપાલ અને સરકાર આમને-સામને આવી ગયા હતા. ત્યાર પછી આ કાયદો વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂર કરતાં હવે આગામી 2015-16ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેને અમલમાં મુકવો કે કેમ તે મામલે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં ફરજિયાત મતદાન વિધેયક વિધાનસભામાં બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું હતું પરંતુ, પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલે આ બીલમાં વાંધા રજુ કરી નાગરિકોના અધિકારોનું હનન ગણાવી તેને નામંજૂર કર્યુ હતું. આ સમયે ભાજપે રાજ્યપાલ અને રાજભવનને કોંગ્રેસના હેડ ક્વાર્ટર તેમજ કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા હતા. કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને એનડીએ શાસિત સરકારે ગુજરાતમાં નવા રાજ્યપાલ ઓ.પી. કોહલીને નિયુક્ત કર્યા. 2009ના વર્ષમાં રાજ્ય ચૂંટણી પંચે ફરજિયાત મતદાન માટે કાયદો ધડવાની જે સલાહ આપી તે આ વર્ષે કાયદામાં તો પરિવર્તિત કરવામાં આવી પરંતું હવે તેને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમલમાં મુકવા મામલે સરકાર દ્વિધામાં જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર જો આ કાયદાને અમલમાં મુકે તો જે અલ્પ સ્ટાફમાં વહિવટીતંત્ર ચાલી રહ્યું છે તેમની કામગીરીમાં વધારો થઈ શકે છે. મામલતદાર, ડે. કલેક્ટરો અને કલેક્ટરોની કામગીરીનું ભારણ વધી શકે છે. જે ફરજિયાત મતદાન ન કરે તેમને આરોપી ગણીને કાર્યવાહી સહીતની જવાબદારી જે તે સ્થાનિક મામલતદાર ઉપર વધી શકે છે. જો આ કાયદો સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવે તો મતદાનની નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં વધારો કરવાની પણ જરૂર પડી શકે છે.
આ કાયદાને લાવવાની રાજ્ય ચૂંટણી પંચે ભલામણ કરી અને તે માટે રાજ્ય સરકારે નાગરિકોના મંતવ્યો લેવાનું નાટક પણ કર્યું પરંતુ, વાસ્તવિક રીતે નાગરિકોના વાંધા સૂચનોને અવગણીને સરકારે રાજ્યપાલ પાસે બીલ તો પસાર કરાવી દીધું પરંતુ હવે, સલાહ આપનાર રાજ્ય ચૂંટણી પંચ અને બીલ પસાર કરાવવા રાજ્યપાલ પર માછલાં ધોતી સરકાર પાછી પાની કરી રહી છે. રાજ્યની વર્તમાન ભાજપ સરકારને રહી રહીને બ્રહ્મજ્ઞાન થયું કે, આ કાયદામાં રહેલી જોગવાઈઓની કેટલીક દુરોગામી અસરો પણ થઈ શકે છે. રાજ્યના પ્રધાનમંડળના કેટલાય સભ્યો અને વહિવટી અધિકારીઓ પણ આ કાયદાના અમલની વિરુદ્ઘ હોવાનું જાણવા મળે છે.
આ કાયદાને અમલમાં મુકવો કે કેમ તે અંગે અસમંજસમાં મુકાયેલી રાજ્ય સરકારે તાત્કાલિક પ્રધાનમંડળની બેઠક બોલાવી સલાહ મસલત કરી હતી. જે બેઠકમાં પ્રધાનમંડળના સદસ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પણ ફરજિયાત મતદાન અંગે વિરોધી સૂર હોવાનું જાણવા મળ્યું હતું.
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓ અગાઉ લોકોમાં આ ફરજિયાત મતદાન કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે. દેશના બંધારણે નાગરિકોને મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે, તેને ફરજિયાતના નામે થોપી શકાય નહી, તેવો સૂર આમ જનતામાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ બચાવની સ્થિતિમાં આવીને રાજ્ય ચૂંટણીપંચે રજુ કરેલા વાંધાઓ દૂર કરવાની કવાયતમાં હોવાનું જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં મતદારયાદીઓમાં પણ ભુલો છે. કેટલાય મતદારોના નામે પોતાના મત વિસ્તારોમાંથી બાકાત થવાના, તેમજ યોગ્ય વય થવા છતાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા. તેમને ચૂંટણીકાર્ડ આપવા જેવી પાયાની બાબતો પૂર્ણ કરવામાં તંત્ર હજુ સફળ થયું નથી. ત્યારે આ ફરજિયાત મતદાનને જો આગામી ચૂંટણીઓમાં અમલમાં મુકવામાં રાજ્ય સરકાર કેટલી સફળ થાય છે અને તેના શું પ્રત્યાઘાતો પડે છે તે જોવું રહ્યું.

Tuesday 26 May 2015

કાંકરીયા ઝૂમાં પ્રાણીઓને ઠંડક આપવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને કારણે લૂ લાગવાના અનેક બનાવો બને છે. ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ધોમધમતા તાપથી બચવા લોકો પોતાના ઘરોમાં, પંખા, એરકૂલર, એરકન્ડીશનનો આશરો લેતા હોય છે. આ સમયે માનવી તો અદ્યતન સાધનો અને સુવિધાઓથી પોતાનો બચાવ કરી લે છે, પરંતુ, કાળઝાળ ગરમીના સમયમાં અબોલ જીવોની હાલત અત્યંત વિકટ અને દયનિય થઈ જતી હોય છે. ઉનાળાની ઋતુમાં અબોલ પ્રાણીઓની દયનિય હાલત વખતે કેટલાય પ્રાણીપ્રેમીઓ પશુઓ અને પંખીઓને બચાવવા કે ગરમીના પ્રકોપથી ઉગારવાના અવનવા પ્રયોગો કરતા હોય છે.
અમદાવાદમાં આવેલું કાંકરીયા પ્રાણી સંગ્રહાલય દેશભરમાં પ્રખ્યાત છે. આ પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના કેટલાય પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓને ખાસ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓ દ્વારા અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને કાળઝાળ ગરમીની સીઝનમાં ઠંડક આપવામાં આવે છે. પ્રાણીઓને ખાસ કરીને ખસની ટટ્ટીઓ, ગ્રીનનેટ, એર કુલર સહિતની સુવિધાઓ પ્રાણી સંગ્રહાલયમાં ઉભી કરવામાં આવી છે. ખસની ટટ્ટીઓ પર દિવસ દરમ્યાન ત્રણથી ચાર વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી શિતળતાનો આહ્વલાદક અહેસાસ પ્રાણીઓ અને પશુઓને થઈ શકે.
ગ્રીનનેટની મદદથી સૂર્યમાંથી આવતાં ઇન્ફારેડ કિરણોની તીવ્રતા 7થી8 ટકા ઘટાડી શકાય છે. પ્રાણીઓ અને પક્ષીઓને સૂર્યના સીધા કિરણોનો તાપ ન મળે તે માટે પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડો, અજગર, સાપ તેમજ આંદામાન જેવા ઠંડા વિસ્તારના કબૂતરો માટે પાંજરામાં કુલરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દેશભરના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા હોવાથી તેઓ ઠંડી, ગરમીની આબોહવા સહન શકે તે માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
અતિશય પડતી ગરમી સહન ન કરી શકતાં પાણી પ્રેમી પ્રાણીઓ રીંછ, હાથી, હિપોપોટેમસ, મગર માટે પાણીના કુંડ ભરવામાં આવે છે. હાથીને દિવસ દરમ્યાન શિતળ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તેમજ શેરડી ખવડાવવામાં આવે છે. વાંદરાઓને તડબુચ અને કેરી ખવડાવવામાં આવે છે. હરણના પીંજરામાં કાદવ-કીચડ બનાવવામાં આવે છે, તેથી સૂર્યની ગરમીની તીવ્રતા ઓછી થઈ જાય છે. હવામાનમાં ઠંડક જળવાઈ રહે તેમજ લૂથી બચી શકાય તે માટે માઈક્રો સ્પ્રિન્કલની મદદથી હવામાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે.
सौजन्यः-परेशभाई(NIMCJ)

Monday 25 May 2015

માંડવાને બદલે મેડિકલ કેમ્પ, ડૉક્ટર દંપત્તિએ સેવા કરી લગ્ન જીવનમાં કર્યો પ્રવેશ

દીકરી એટલે લક્ષ્મીનો અવતાર.. આજના સમયમાં કોઈના ઘરમાં દીકરી જન્મે એટલે લક્ષ્મી જન્મી કહેવાય. આ લક્ષ્મીરૂપી દીકરી જન્મે છે, ત્યારથી જ તેના પિતાની ચિંતા પણ વધી જાય છે. દરેક પિતાની પોતાની દીકરીના જન્મ બાદ એક જ ચિંતા હોય છે કે, તેને ભણાવી ગણાવીને એક સારો છોકરો જોઈને સાસરે વળાવવી. આજે સમાજમાં દેખાદેખી અને દુર્ગુણોના કારણે કેટલાક કુરિવાજો સમાજમાં સડાની માફક ઘુસી ગયા છે. આવા કુંઠીત રીવાજોની વચ્ચે સમાજમાં લગ્ન પ્રસંગને નવી દિશા આપી લોક સેવા કરવાની નવી પહેલનો પ્રસંગ ઊંઝામાં થવા પામ્યો છે.

મહેસાણા જિલ્લાના ઊંઝામાં જીરું તેમજ વરીયાળીનો વ્યવસાય કરતાં પારસભાઈ શાહની દીકરી ઋતુના લગ્ન અમદાવાદમાં વસતાં એક ડૉક્ટર પરિવારમાં નક્કી થયા. પારસભાઈની દીકરી ઋતુએ પોતાના લગ્ન પાછળ કરાતાં ઝાકમઝોળ ખર્ચને લોક સેવા માટે ઉપયોગ કરવા અને સાદાઈથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પારસભાઈએ પોતાની દીકરીની ઈચ્છા મુજબ ડૉક્ટર દીકરી અને ડૉક્ટર જમાઈની સાથે ચર્ચા કરીને તેમની ઈચ્છા મુજબ ઊંઝામાં જ એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. પોતાના લગ્નમાં મહેંદી અને રાસ ગરબામાં ખર્ચ કરવાને બદલે ડૉ.ઋતુએ ઊંઝાના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરી તેમના આશિર્વાદ સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની નવી પહેલ કરતાં પરિવાર અને સંબંધીઓ સહિત લોકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.

ડૉ.ઋતુએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું ખુબ જ ખુશ છું, આ મારું પહેલેથી જ સપનું હતું કે મારા લગ્નનો પ્રસંગ ન ઉજવાય તેનો મને કોઈ વાંધો નથી, પરંતુ મારા કારણે આટલા બધા દર્દીઓને રાહત મળી, તે મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે, મારા લગ્ન પ્રસંગને રદ કરીને દર્દીઓની સેવા કરવાનો કિસ્સો ઊંઝામાં પ્રથમવાર બન્યો હશે. બીજા લોકો પણ આમાંથી પ્રેરણા લેશે.

ઋતુના પતિ ડૉ.સુજયે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે મારા લગ્ન પ્રસંગમાં દર્દીઓની સેવા કરવાથી હું ખુબ આનંદની લાગણી અનુભવું છું. હું એટલું જ કહેવા માંગીશ કે, લોકો પોતાના પરિવારમાં કોઈ પ્રસંગ વખતે કોઈ સેવા ન કરી શકે તો વાંધો નહિ પરંતુ, તે પ્રસંગ પહેલા થોડો ખર્ચ લોક સેવા માટે કરે તો પણ ઘણી મોટી વાત છે.

ડૉ.ઋતુના માતા-પિતા પારસભાઈ અને રીટાબેને વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ લગ્ન પ્રસંગમાં એક દિવસ માટે ખર્ચ કરવામાં આવે છે, આ દિવસે નાણાંનો ઘણો વેડફાટ થઈ જતો હોય છે. તેના બદલે આવું કંઈક સારું કામ કરવું જોઈએ. તેવા શુભાશય થી જ અમે, અમારી દીકરી ઋતુની ઈચ્છા મુજબ દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું. જેથી આ સર્વ રોગ નિદાન કેમ્પ થકી મારી દીકરીને પણ દર્દીઓના આશીર્વાદ મળ્યા.

ડૉ. સુજયના પિતા ડૉ.ભરત શાહે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ એક યુનિક શરૂઆત છે, તેનાથી સમાજને એક નવો સંદેશ મળશે. લગ્નમાં એક દિવસ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવાને બદલે આ પ્રકારે સેવા કરવાથી જરૂરિયાતમંદોને ઘણો લાભ થશે. આ કેમ્પમાં અમે હૃદયના વાલ્વ બદલવા કે કમરના મણકાની તકલીફ હોય તેવી મોટી બીમારીના દર્દીઓને પણ ફ્રીમાં સારવાર કરવામાં આવશે.

ઊંઝામાં વસતા આ શાહ પરિવારે સમાજમાં એક નવો ચીલો ચીતર્યો છે અને જેના મારફતે લગ્ન પ્રસંગોમાં થતો મોટા ખર્ચનો વેડફાટ કરવાને બદલે કોઈ દર્દીને યોગ્ય સારવાર મળવાથી તેને નવી જિંદગી મળી શકે છે.

આજના સમયમાં લગ્નમાં ભભકાદાર અને દોમદોમ સાહ્યબીનો દેખાડો કરીને રૂપિયા વાપરવાની એક પ્રણાલી ઉભી થઈ ગઈ છે. એક લગ્ન પ્રસંગ કરવા પાછળ આજે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. તેના કારણે પૈસાનો બિનજરૂરી વ્યય થઈ જાય છે. આ વ્યય અટકાવી તે પૈસાને સદ્ઉપયોગમાં વાપરવામાં આવે તો લગ્ન પ્રસંગની સાર્થકતા પણ જળવાઈ રહે અને સમાજના કલ્યાણમાં તે પૈસાનો પણ ઉપયોગ કરી શકાય.

Reported by- Manish Mishtry.

Saturday 16 May 2015

મુખ્યપ્રધાનોએ ખોળે લીધેલું કરમદી ગામ આજે પણ અનાથ, દોજખ જિંદગી જીવતાં ગામજનો

ભારત ગામડાઓનો બનેલો ખેતીપ્રધાન દેશ છે. દેશનો 70 ટકા જનસમુદાય ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે
છે. આ ગ્રામ્ય જનસમુદાય અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ વચ્ચે પોતાનું જીવન અને આગામી પેઢીનું સંવર્ધન કરે છે. આજે પણ આઝાદીને સાત સાત દાયકાઓ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં દેશના કેટલાય ગામો એ જ પછાત અને અઢારમી સદીનું કારમું જીવન પસાર કરે છે. શાસનતંત્ર કે સ્વૈચ્છિક સંગઠનો શહેરી વિસ્તારોના વિકાસમાંથી બહાર નિકળે ત્યારે આવા ગામોને નર્કમાંથી બહાર કાઢવાની કોશિશ કરી શકે ને. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતાં અમીરગઢ તાલુકાનું કરમદી ગામ પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ વંચિત છે. ગામમાં નથી તો કોઈ બસની સુવિધા કે નથી તો કોઈ સરકારી દવાખાનાની સુવિધા. ગામમાં નામની માત્ર પ્રાથમિક શાળા આવેલી છે. પરંતું, ત્યાં પણ પુરતા વર્ગખંડો કે શિક્ષકોનો અભાવ છે. જર્જરીત શાળાના ઓરડાઓમાં દેશનું ભવિષ્ય નિર્માણ પામે છે. પરંતું, વહિવટીતંત્ર આ અંગે સુન્ન છે. આજથી 30 વર્ષ અગાઉ અમરસિંહ ચૌધરી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે, આ ગામ તેમણે દત્તક લીધું હતું ત્યાર બાદ દેશના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ આ ગામને દત્તક લીધું હતું. પરંતું, દુર્ભાગ્યે દેશના સ્વપ્નદ્રષ્ટા મોદી પણ આ ગામનું સ્વપ્ન ન સુધારી શકયા.
ગામમાં પીવાના પાણીની તંગી છે. વિજળી અને રસોઈ ગેસ તો ગામ લોકો માટે કલ્પના બહારની વાત છે. ભૌગોલિક રીતે પર્વતીય વિસ્તારમાં આવેલ આ ગામ અંબાજીથી 12 કિમીના અંતરે આવેલું છે. જ્યારે વહિવટીતંત્ર દિન દહાડે અંબાજીના આંગણે ધામા નાખે છે ત્યારે, આ ગામની પણ એક મુલાકાત લે તો મુશ્કેલીની નગ્ન વાસ્તવિકતા સત્તાધીશોને સમજાય. રસ્તાઓની બેસુમાર હાલત અને રડ્યાં ખડ્યાં છાપરાં વચ્ચે આ માનવ સમુદાય છે કે આદિમાનવ સમુદાય તેનો પણ તેમને અહેસાસ થાય.
આ ગામમાં રહેવા માટે તૂટેલા ફૂટેલા નળીયા અને છાપરાથી વિશેષ કંઈ નથી. સરકારી યોજનાઓ અને આદિજાતિ વિકાસ યોજનાઓના અહિં કોઈ નામો નિશાન પણ નથી. ગામમાં જ્યારે, પહાડી વિસ્તારમાં રાત પડતાં અહી સૂમસાન વાતાવરણ બની જાય છે અને ગ્રામજનો પણ હિંસક પશુઓની દહેશત વચ્ચે જીવન વ્યતિત કરે છે.
ગામની સમસ્યા અંગે સોમી પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ગામમાં માત્ર વોટ લેવા માટે નેતાઓ ફરકે છે, ત્યારબાદ અહિં કોઈ ફરકતું પણ નથી. અમે બદત્તર હાલતમાં જીવીએ છીયે. નથી અમારી પાસે રહેવા માટે પાકું ઘર કે નથી વીજળી.

ગરીબીની નગ્ન વાસ્તવિકતા આ દેશને ઉધઈની માફક કોરી રહી છે, પરંતુ સત્તાધીશો શહેરીકરણની આંધળી દોટમાં ગામડાની ગરીબીને નિર્મૂલન કરવાનું ભૂલી જાય છે. એક તરફ શહેરોમાં શ્રીમંતાઈનો વ્યાપ વધતો જાય છે તો બીજી તરફ ગરીબીનો વ્યાપ પણ એટલો જ વકરતો જાય છે. આ અસમાનતાની ખાઈ દેશના વિકાસને વિંધી નાખે તો નવાઈ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે દત્તક લીધેલું બનાસકાંઠા જિલ્લાના ટ્રાયબલ એરિયા અમીરગઢ તાલુકાનું અંતરીયાળ કરમદી ગામ આજે આઝાદીના સાત દાયકા બાદ પણ દોજખ જિંદગી જીવતા પરિવારને નવજીવન આપવામાં તંત્ર સંપૂર્ણ ઉણું ઉતર્યું છે. વડાપ્રધાને પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન આ કરમદી ગામને દત્તક લઈને તેની કોઈ જ સાર સંભાળ કે તસ્દી લીધી નથી ત્યારે સવાલ થાય છે કે, સંસદમાં આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદો પાસે ગામો દત્તક લેવડાવીને કેવો વિકાસ કરાવવા માંગે છે. જ્યારે, ખુદ નરેન્દ્ર મોદી પોતાના કાર્યકાળમાં જે ગામોનો વિકાસ કરી શક્યા નથી ત્યારે આ યોજના પણ એક પ્રસિદ્ધિ જ બની રહેશે કે વિકાસ કરવામાં આવશે તે એક સવાલ છે.

Thursday 14 May 2015

વીજ ઉત્પાદનમાં ગુજરાત સરપ્લસ સ્ટેટ, 7 હજાર મેગા વોટ વિદ્યુત ઉત્પાદન

વીજળી ઉત્પાદિત રાજ્યોમાં ગુજરાતની ગણના કરી શકાય છે. રાજ્યને વીજ ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટીએ સરપ્લસ સ્ટેટ કહેવામાં આવે છે. રાજ્યમાં રાજ્ય સરકાર ઈલેક્ટ્રીસિટી કંપની લિમીટેડ હસ્તકના નવ વીજ ઉત્પાદન મથકો આવેલા છે જ્યારે સરકારી ક્ષેત્રના (આઈપીપી) સ્વતંત્ર વીજ ઉત્પાદન મથકો રાજ્યમાં છ જગ્યાઓ પર આવેલા છે. જે વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા પણ સાત હજારથી વધુ મેગા વોટની છે.
 
રાજ્યના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ શક્તિઓને ધ્યાનમાં રાખી એક કેન્દ્રીત વિષયવસ્તુની કલ્પના કરી હતી. જેમાં જન શક્તિ, જળ શક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિની પરિકલ્પના કરવામાં આવી છે. આ પંચ તત્વોમાં ઉર્જા શક્તિના મહત્વને આધારભૂત બનાવવા રાજ્ય સરકારે પ્રયત્નો પણ કર્યા હતા. ગુજરાતના તમામ પરીવારોને વીજળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેમજ સુનિશ્ચિત કરેલ વીજ ઉત્પાદકતા કેળવાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને સતત કાર્યરત્ પણ છે. રાજ્યમાં વીજ વિતરણ પ્રણાલીને વિભાજિત કરવામાં આવી છે. યુજીવીસીએ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટો પાવર કંપનીઓ રાજ્યમાં વીજ વિતરણ કરે છે. વીજળીની બાબતમાં રાજ્ય સ્વ નિર્ભર હોવા છતાં ઉત્પાદિત વીજ મથકોને કેટલાક ટેક્નિકલી કારણોથી બંધ રાખવા ઉપરાંત કોલસાની તંગી તેમજ અપુરતા પૂરવઠાને કારણે રાજ્યને ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદન મથકો પાસેથી વીજળી ખરીદવી પડે છે.

ગુજરાતમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી લિ. નવ વીજ મથકો વિદ્યુત ઉત્પાદિત કરે છે. આ વીજ મથકોમાં ઉકાઈ ખાતે  થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે જે પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1350 મેગાવોટ છે. ગાંધીનગરમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ 870 મેગાવોટ જોવા મળી છે. વણાકબોરીમાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા રાજ્યના અન્ય પાવર પ્લાન્ટોની તુલનામાં સૌથી વધુ 1470 મેગાવોટ નોંધાઈ છે. આ ઉપરાંત કચ્છમાં લિગ્નાઈટ પાવર પ્લાન્ટ, ધુવારણમાં ગેસ પાવર પ્લાન્ટ, સિક્કામાં આવેલો થર્મલ પાવર પ્લાન્ટ, ઉકાઈ ડેમ પર તેમજ કડાણા અને પાનમ ડેમ પર આવેલ હાઈડ્રો પાવર પ્લાન્ટ વિદ્યુત ઉત્પાદનના મહત્વના વીજ મથકો ગણાય છે. આ તમામ નવ જેટલા પાવર પ્લાન્ટોની ઉત્પાદન ક્ષમતા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ વાર્ષિક 5496 મેગા વોટ વીજળી ઉત્પાદિત થાય છે.

આ ઉપરાંત સરકારી ક્ષેત્રના સ્વતંત્ર વીજ ઉત્પાદન (આઈપીપી) મથકોમાં હજીરામાં આવેલી ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન કંપની લિ., ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.( સ્ટેજ-1,2 અને એસએલપીપી), ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પીપાવાવ સ્થિત જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટમાં આ છ સરકારી ક્ષેત્રના વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં 1567 મેગાવોટ હતી જે વધીને 2014ના વર્ષ દરમ્યાન  2269 મેગાવોટ નોંધાઈ છે. આ રીતે સરકારી ક્ષેત્રના વીજ મથકોમાં પીપાવાવના જી.પી.પી.સી પાવર પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2013માં નહોતી તે 2014માં 702 મેગાવોટ નોંધાઈ છે.
રાજ્યમાં વીજળીની જરૂરીયાત વાર્ષિક 13હજારથી 14 હજાર મેગાવોટની છે તેની સામે રાજ્યના પોતાની માલિકીના વીજ ઉત્પાદન મથકોની ઉત્પાદિત ક્ષમતા 7765 મેગાવોટની હોવાથી બાકીની ઘટ પડતી વીજળી રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત ગૃહો પાસેથી ખરીદવી પડે છે. રાજ્યમાં આવેલા ખાનગી વીજ ઉત્પાદિત મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા 15000 મેગાવોટની છે. આ વીજ ઉત્પાદિત ગૃહો રાજ્ય સરકાર ઉપરાંત અન્ય સેક્ટરો અને રાજ્યોને વીજળી વેચે છે.

રાજ્ય સરકાર હસ્તકના પાવર ઉત્પાદન મથકો રાજ્યમાં વીજની માંગ પુરી કરી શકતા નથી. આ વીજ અછતની પુરતી માટે ખાનગી વીજ મથકો પર મદાર રાખવાનો થાય છે. આ વીજ ખરીદી અંગે રાજ્ય સરકારે કરેલા કરારો મુજબ એસ્સાર પાવર લિમીટેડ, એસ્સાર પાવર ગુજરાત લિમીટેડ, ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિમીટેડ, અદાણી પાવર લિમીટેડ, એ.સી.બી(ઈન્ડીયા) લિ, કોસ્ટલ ગુજરાત પાવર કંપની લિમીટેડ, કેપ્ટીવ પાવર પ્લાન્ટસ્ પાસેથી વીજળી ખરીદવામાં આવે છે.
 31મી ડિસેમ્બર 2014ની સ્થિતિએ રાજ્ય સરકાર સૌથી વધુ વિજળી અદાણી પાવર લિમીટેડ પાસેથી ખરીદે છે. જેના ભાવ 2.64/ યુનિટ છે. આ ભાવ ગત્ 2013ના વર્ષમાં 2.88 નિયત કરેલા હતા. આ રીતે ચાઈના લાઈટ એન્ડ પાવર ઈન્ડીયા પ્રાઈવેટ લિ. પાસેથી 4.40 રૂપીયા/યુનિટના મોઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે.

ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ટોચના વીજ ઉત્પાદિત રાજ્યોમાં ગણાય છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત દેશમાં સૌથી વધું વિદ્યુત ઉત્પાદન કરતાં રાજ્યો છે. દેશમાં ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદિત કંપનીઓ સૌથી વધુ વીજળી ગુજરાતમાં ઉત્પાદિત કરે છે. રાજ્ય સરકારની ઉદ્યોગવિષયક નીતિઓ અને રોકાણ પ્રોત્શાહિત સરકારી પોલિસીના કારણે ખાનગી ક્ષેત્રનો વ્યાપ રાજ્યમાં ઉતરોત્તર વધતો જાય છે. આ કારણે વર્ષો પહેલાં ગુજરાતમાં જે વીજ ખાદ્ય રહેતી હતી તે હવે વીજ સરપ્લસ સ્ટેટ બની ગયું છે.

Wednesday 13 May 2015

સરકારી હેલિકોપ્ટર અને વિમાનના પાછળ કરોડો રુપિયાનું આંધણ

ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરના ઓપરેશન તથા મઇન્ટેનન્સ પાછળ બે વર્ષમાં રૂ.8.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સરકારે કબુલ્યું છે.
રાજ્ય સરકારે 2014ની સ્થિતિએ બે વર્ષમાં સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનન્સ, પાઇલોટ અને અન્ય સ્ટાફ માટે ખર્ચ કર્યો છે જેમાં 2013માં ઓપરેશન પાછળ રૂ.1.71 કરોડ તેમજ મેઇન્ટેનન્સ માટે રૂ.26.81 લાખનો ખર્ચ કરાયો હતો. એટલો જ ખર્ચ 2014માં થયો હતો. આ જ રીતે હેલિકોપ્ટરના ઓપરેશન માટે 2013માં રૂ.1.77 કરોડ તેમજ મેઇન્ટેનન્સ માટે રૂ.59.22 લાખ મળી રૂ.2.36 કરોડ ખર્ચાયા હતા. આ જ પ્રમાણે 2014માં ખર્ચ થયો છે.
રાજ્યમાં છ સ્થળે હવાઇપટ્ટીઓ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં અંકલેશ્વર, પાલીતાણા, મોરબી, દહેજ, દ્વારકા અને અંબાજીનો સમાવેશ થાય છે. હાલમાં અંકલેશ્વર ખાતે બાઉન્ડ્રી વોલ, લેન્ડ લેવલિંગ કરવામાં આવી છે. પાલિતાણા ખાતે જમીન માપણી તેમજ ડિમાર્કેશન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે જમીન તબદિલીની કામગીરી માટે ગાડા મારગ બાબત કાર્યવાહી હાથ ધરાઇ છે. દહેજ ખાતે જમીન તબદિલીની કામગીરી હાથ ધરાઇ છે. દ્વારકામાં જમીન માપણીનું કામ પ્રગતિમાં છે. અંબાજીમાં સરકારી જમીન શોધવાની પ્રક્રિયા ચાલુ છે.